Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

દુષ્‍કર્મની ફરીયાદમાં પકડાયેલ આરોપીનો જામીન પર છુટકારો ફરમાવતી સેસન્‍સ કોર્ટ

રાજકોટ, તા. ૧૬ :  દુષ્‍કર્મની ફરીયાદમાં આરોપીને જામીન ઉપર મુકત કરવાનો અદાલતે હુકમ કર્યો હતો.

આ કેસની હકિકત ટુંકમાં એવી છે કે, આ કામના ફરીયાદીએ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં તા. ૦ર-૧૧-ર૦રર ના રોજ આરોપી વિરૂધ્‍ધ સુરેશભાઇ નાથાભાઇ સોલંકી રહે. વચ્‍છરાજકૃપા, રાધીકા પાર્ક, શેરી નં. ર રહે. રાજકોટ વાળા સામે ઇ.પી.કો. કલમ-૩૭૬ (ર) એન. મુજબની ફરીયાદ આપેલ. જે ગુનાના કામે તા.૦ર-૧૧-ર૦રર ના રોજ પોલીસ આરોપીની અટક કરેલી અને કોર્ટમાં રજૂ કરી નામદાર કોર્ટે જેલ હવાલે કરેલા હતા.

આ કામના આરોપી/અરજદારે એ.ડી. સેસન્‍સ જજ ની કોર્ટમાં રેગ્‍યુલર જામીન અરજી દાખલ કરેલી જેમાં કોર્ટે બન્ને પક્ષકારોની દલીલો સાંભળી આરોપી/ અરજદારના એડવોકેટ શ્રી વી.ડી. રાઠોડની દલીલમાં જણાવેલ કે મુદાને ધ્‍યાનમાં લઇને આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે.

આ કામના અરજદાર/ આરોપીના વકીલ વી.ડી. રાઠોડ રોકાયેલ હતા.

(4:30 pm IST)