Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

બાળદિન નિમિતે બાળકોને ફ્રિ રાઇડ્સની મજા કરાવતુ બાલભવન

રાજકોટ : દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૃ અને બાળકોના પ્રિય ચાચા નહેરૃનો જન્મદિન ૧૪ નવેમ્બરે બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ નિમિતે બાલભવન રાજકોટ દ્વારા ભુલકાઓ માટે તમામ રાઇડ્સ નિઃશુલ્ક ખુલ્લુ મુકી દેવાઇ હતી. બતક, દેડકા, હોન્ડા, બેબી ટ્રેઇન સહીતની સવારીનો બાળકોએ મનભરીને આનંદ લુંટયો હતો. બાલભવનના માનદમંત્રી મનસુખભાઇ જોષી અને ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન), ઓફીસ સુપ્રિન્ટેન્ડેન્ટ કિરીટભાઇ વ્યાસ, બાલભવન પરિવાર દ્વારા પંડીતજીની તસ્વીરને ગુલાબની પાંખડીઓ ચડાવી ભાવવંદના કરવામાં આવી હતી. અંદાજે ૨૫૦૦ થી વધુ બાળકોએ બાલભવન ખાતેની વિવિધ રાઇડ્સનો આનંદ લીધો હતો. જે તસ્વીરમાં નજરે પડે છે.

(3:40 pm IST)