Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

શનિવારે વાણીયાવાડીમાં મારૂતિ યજ્ઞ

મહાપૂજા, ધજાજી મહોત્‍સવ, મહાપ્રસાદઃ બાલાજી મિત્ર મંડળ દ્વારા આયોજનઃ યજ્ઞમાં બેસવા નામ નોંધણી

રાજકોટઃ શહેરના વાણીયાવાડી શેરી નં.૩, સુરભી એપાર્ટમેન્‍ટ પાસે, રાજકોટ ખાતે બાલાજી હનુમાન દાદાના સાનીધ્‍યમાં આગામી તા. ૧૯ શનિવારના રોજ મારૂતી યજ્ઞ, મહાપૂજા, ધજાજી મહોત્‍સવ તથા સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામા આવ્‍યુ છે. જે કોઇ ભાવિભકતને મારૂતી યજ્ઞ, મહાપૂજામાં બેસવું હોય તેઓએ નામ નોંધાવી દેવું. બાલાજી મિત્ર મંડળ દર વર્ષે ૧૧                 યજ્ઞ કુંડનું આયોજન કરે છે. તેમા એક કુંડમાં ૪ કપલ બેસી શકે  અને મહાપૂજામાં ૫૦૦ થી ૬૦૦ લોકો બેસી શકે છે.કોરોના કાળ બાદ પ્રથમ વખત આયોજન  થયુ છે. આ વર્ષે ૨૧ થી પણ વધારે યજ્ઞ કુંડ યોજાશે અને ૧૦૦૦થી પણ વધારે લોકો મહાપૂજાનો લાભ લેશે  મહાપૂજાના સંત શ્રી વિવેકસાગરદાસજી  સ્‍વામી( બાલાજી મંદિરના મહંત) ના સ્‍વ. મુખેથી ભાવિકોને  ભકતોને મહાપૂજાનો લાભ આપશે.
આ અંગે વધુ માહિતી માટે મો. ૮૦૦૦૦૭૯૦૦૬ ઉપર સંપર્ક કરવો.
તસ્‍વીરમાં દિપક ટાંક અને જગદીશ  મેત્રા નજરે પડે છે.

 

(3:37 pm IST)