Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

રાજકોટ પરગણા દલિત સમાજનું કાલે નારણકામાં સ્‍નેહમિલન

રાજકોટ તા. ૧૫ : ડો. બાબા સાહેબ આંબેડકર માનવ કલ્‍યાણ મંડળ દ્વારા કાલે તા. ૧૬ ના નારણકા ગામે રાજકોટ પરગણા દલિત સમાજનું સ્‍નેહમિલન યોજવામાં આવેલ છે.કાર્યક્રમના પ્રમુખસ્‍થાને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી રવિન્‍દ્ર દલવી તેમજ ઉદ્દઘાટક તરીકે પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુ.જાતિ વિભાગના પ્રમુખ હિતેન્‍દ્ર પીઠડીયા, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુનભાઇ ખાટરીયા ઉપસ્‍થિત રહેશે. આ સ્‍નેહમિલનમાં રાજકોટ ગ્રામ્‍ય-૭૧ વિધાનસભાના ઉમેદવાર સુરેશભાઇ બથવાર ખાસ ઉપસ્‍થિત રહેશે. દલિત સમાજ દ્વારા તેઓનું સન્‍માન કરાશે.

મુખ્‍ય મહેમાન તરીકે પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડા, ધીરૂભાઇ ધાબલીયા, હિતેષભાઇ વોરા, સંજયભાઇ અજુડીયા, મહેન્‍દ્રસિંહ જાડેજા, ઉર્વશીબા કનકસિંહ જાડેજા, મુનનભાઇ રાયજાદા, એન.ડી.જાડેજા, બાબુભાઇ સાવલીયા, સુરૂભા જાડેજા, ધર્મેશભાઇ ઢાંકેચા, કનકસિંહ જાડેજા, કેશુભાઇ હરિભાઇ વાવડીયા, લલિતભાઇ મંગાભાઇ વાળા, જેઠાભાઇ લાખાભાઇ વાળા, સુરેશભાઇ લુણાગરીયા, બશીરભાઇ બાંગા, ભનુભાઇ ચૌહાણ, કિશોરભાઇ મકવાણા, મનોજભાઇ દાફડા, હેમંતભાઇ દાફડા, મગનભાઇ બારૈયા, શાંતાબેન મકવાણા, રઘુરામ યાદવ વગેરે ઉપસ્‍થિત રહેશે. તેમ રાજકોટ જિલ્લા અનુ.જાતિ વિભાગના પ્રમુખ અશોકભાઇ વાળા (મો.૯૪૨૭૭ ૨૦૪૮૯) ની યાદીમાં જણાવાયુ છે.

(12:15 pm IST)