Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

૭૦-રાજકોટ બેઠક ઉપર આપના શીવલાલભાઇ બારસીયાનું ફોર્મ માન્‍યઃ આપના બીજા ઉમેદવાર અપક્ષ ગણાશે

બીજા ઉમેદવાર રાકેશ સોરઠીયાએ ૧૦ ટેકેદારોની દરખાસ્‍ત આપી છે...જો તેઓ ફોર્મ પાછૂ નહી ખેંચે તો અપક્ષ ગણાશે : રાકેશ સોરઠીયાએ ડમી તરીકે ફોર્મ ભર્યુ હોય તેમાં ૧૦ ટેકેદારો આપના હાલ આપના બે ઉમેદવારો

રાજકોટ તા. ૧પ :.. રાજકોટની ૭૦ - રાજકોટ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી શીવલાલભાઇ બારસીયાએ ફોર્મ ભર્યુ હતું. આ ઉપરાંત આપમાંથી પણ બીજા ઉમેદવાર રાકેશ સોરઠીયાએ ફોર્મ ભર્યુ હતું.

આજે ફોર્મની ચકાસણી હતી, અને તેમાં ચકાસણી દરમિયાન આપના ઉમેદવાર શ્રી શીવલાલ બારસીયાનું ફોર્મ માન્‍ય રહ્યાનું ચૂંટણી અધિકારી શ્રી ચૌધરીએ આજે ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું. તેમણે જણાવેલ કે આપના બીજા ઉમેદવાર શ્રી રાકેશ સોરઠીયાનું પણ હાલ ફોર્મ માન્‍ય રહ્યું છે, કારણ કે તેમણે પોતાનું ફોર્મ ભરવા સમયે ૧૦ ટેકેદારોની દરખાસ્‍ત આપી છે, આથી જો તેઓ ફોર્મ પાછૂ નહી ખેંચે તો રાકેશ સોરઠીયા અપક્ષ ઉમેદવાર તરીકે ગણાશે, જયારે ભાજપ-કોંગ્રેસના ડમી ઉમેદવારોએ ૧૦ ટેકેદારોની દરખાસ્‍ત નથી આપી આથી તેઓના ફોર્મ રદ થયા છે, ચૂંટણી પંચના નિયમોમાં આવી જોગવાઇ છે.

અત્રે એ નોંધનીય છે કે આપના ઉમેદવાર શીવલાલ બારસીયાનું ફોર્મ રદ થયાની રાજકોટમાં ભારે હવા જામી હતી, ભારે ખળભળાટ મચી ગયો હતો, પરંતુ આર. ઓ.નો સંપર્ક કરાતા તેમણે શીવલાલભાઇનું ફોર્મ માન્‍ય રહ્યાનું અકિલાને કહયું હતું, હવે આપમાં બે ઉમેદવાર સંદર્ભે જબરો કોયડો સજાર્યો છે.

(3:18 pm IST)