Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

આત્મીય યુનિવર્સીટીમાં બોટલ ક્રશરમશીનનું લોકાર્પણ

'સ્વચ્છતા એ જ સેવા'અંતર્ગત 'પ્લાસ્ટિક કચરા મુકત ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટે આત્મીય યુનિવર્સિટીએ મહત્વનું કદમ ઉઠાવ્યું છે.  પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્મૃતિ મંચના સહયોગથી પરિસરમાં પ્લાસ્ટિક બોટલને ક્રશ કરવા માટે 'રિવર્સ વેન્ડીંગ મશિન'મુકવામાં આવ્યું છે.  જેનું લોકાર્પણ રાજકોટના કાર્યવાહક મેયર અશ્વિનભાઈ મોલીયા અને પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્મૃતિ મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ શુકલના હસ્તે પૂજય ત્યાગવલ્લભ સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું   આ પ્રસંગે વિદ્યાર્થીઓને 'પ્લાસ્ટિક મુકત ભારત'ની સરળ સમજ આપવા માટે સેમિનાર પણ યોજાયો હતો.  આ પ્રસંગે મેયર મોલીયાએ લોકભાગીદારીને સ્વચ્છતા માટેનું મહત્વનું પરિબળ ગણાવ્યું હતું.  વિદ્યાર્થી અવસ્થાથી જ સ્વચ્છતાનો આગ્રહ રાખતાં લોકો શીખે તો  શ્નસ્વચ્છ સમાજલૃની સાથોસાથ શ્નસ્વસ્થ સમાજલૃનું નિર્માણ શકય બને.  સુવિધાઓ વધતી જાય છે તેમ પ્રદૂષણની માત્રા પણ વધતી જાય છે.  તે સંજોગોમાં દરેક લોકોએ જાગૃત થઈને પ્રદૂષણની માત્રા શકય તેટલી ઓછી કરવા સહયોગ આપવો જ રહ્યો.  એક શિક્ષણસંસ્થા પોતાની સામાજિક જવાબદારી નીભાવવા માટે આ પ્રકારની પહેલ કરે તે ખરેખર પ્રશંસનીય બાબત છે.  તેમણે આત્મીય યુનિવર્સિટીને આ માટે અભિનંદન આપ્યાં હતાં. પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્મૃતિ મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. વિનોદ શુકલએ સ્વચ્છતા એ રાજકોટની તાસીર હોવાનું જણાવ્યું હતું.  'સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટે હજુ ઘણી લાંબી મંઝિલ કાપવાની છે.  રીવર્સ વેન્ડીંગ મશીન તેની પહેલી કડી છે.  આત્મીય યુનિવર્સિટી દ્વારા માનવીય જીવન મૂલ્યોની વિદ્યાર્થીઓમાં પ્રતિષ્ઠા માટે આ પ્રકારના સેવાપ્રકલ્પો હાથ ધરવામાં આવે છે તે સમાજ માટે આનંદપ્રદ ઘટના છે.   આત્મીય યુનિવર્સિટી પરિસરમાં રીવર્સ વેન્ડીંગ મશીન પ્રોજેકટ અંગે વાત કરતાં પૂજય ત્યાગવલ્લભ સ્વામીએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં સામાજિક ઉત્તરદાયિત્વ અંગે જાગૃતિ આવે તેમજ પર્યાવરણની સ્વચ્છતા માટે સક્રિય સહયોગ માટેની લાગણી જન્મે તે માટે આ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે.

ત્યાગવલ્લભ સ્વામીએ કહ્યું હતું કે,  માનવીય જીવનમૂલ્યોથી સભર શિક્ષણ એ આત્મીય પરિસરની વિશિષ્ઠતા છે.  એકબીજાને સહાય કરવી, જરૂરતમંદ લોકોની સાથે ઉભું રહેવું, પર્યાવરણનું જતન કરવું,  કુદરતી સ્ત્રોતોનો સંયમીત ઉપયોગ કરતાં શીખવું, કુદરત સાથે તાલ મીલાવીને જીવવું જેવી જીવનઘડતરની બાબતો શિક્ષણની સાથે આવરી લેવામાં આવે છે. 

કાર્યક્રમમાં આત્મીય યુનિ.ના પ્રોવોસ્ટ પ્રો. સંથાનકૃષ્ણન, ફેકલ્ટી ઓફ એન્જિીનયરીંગના ડીન ડો. જી. ડી. આચાર્ય, વિરાણી સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. લાડવા,  પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્મૃતિમંચના ટ્રેનિંગ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટના નેશનલ હેડ મહેન્દ્ર ઠાકુર, બૌધ્ધિક પ્રકોષ્ઠના ઉપાધ્યક્ષ વિનોદ ગર્ગ, મહારાષ્ટ્ર યુવા પ્રમુખ અવિનાશ રાય, રાષ્ટ્રીય સંયોજક ગુનિસ ગર્ગ સહિત સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:57 pm IST)