Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

આંબેડકરનગરના ઘનશ્યામ ઉર્ફ ઘનાએ સગીરાનું લલચાવી ફોસલાવી અપહરણ કર્યુ

બાળા પિત્રાઇ ભાઇને રાખડી બાંધવા જવાનું કહીને નીકળ્યા બાદ ગાયબઃ તપાસ થતાં ઘનો કટારીયા ભગાડી ગયાનું ખુલ્યું: માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૬: ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૧માં ડો. ગઢવી સાહેબના દવાખાના પાસે રહેતો ઘનશ્યામ ઉર્ફ ઘનો ખીમજીભાઇ કટારીયા નામનો શખ્સ આ વિસ્તારથી જ ૧૫ વર્ષની એક બાળાને લલચાવી ફોસલાવી ભગાડી જતાં પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે.

માલવીયાનગર પોલીસે બાળાના પિતાની ફરિયાદ પરથી ઘનશ્યામ ઉર્ફ ઘના સામે આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધ્યો છે. ગઇકાલે રક્ષાબંધનની સવારે સાડા દસેક વાગ્યે આ બાળા બાજુની શેરીમાં રહેતાં કાકાના દિકરા ભાઇને રાખડી બાંધવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ મોડે સુધી પરત ન આવતાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન પડોશી મારફત એવી જાણ થઇ હતી કે તેણી રિક્ષામાં બેસીની જતી હતી.

વધુ તપાસ થતાં તેને ઘનશ્યામ ઉર્ફ ઘનો અપહરણ કરી લઇ ગયાની માહિતી મળતાં  પરિવારજનો પોલીસ પાસે પહોંચ્યા હતાં. પી.આઇ. એન. એન. ચુડાસમા, પરેશભાઇ જારીયા, જાવેદભાઇ રિઝવી અને અરૂણભાઇએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(1:16 pm IST)