Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

હિંગળાજનગરમાં જાદવ કંસારાના ઘરમાં ક્રાઇમ બ્રાંચનો જૂગારનો દરોડોઃ ૧૧ પકડાયા

રૂ. ૧૯૩૩૦ની રોકડ કબ્જેઃ વૃધ્ધે નાલ ઉઘરાવી જૂગારધામ શરૂ કર્યુ'તું

રાજકોટ તા. ૧૬: અમીન માર્ગ પર હિંગળાજનગર શેરી નં. ૩માં રહેતાં જાદવ છગનલાલ કંસારા (કુંભાર) (ઉ.૬૦) નામના વૃધ્ધના ઘરમાં જૂગારધામ ચાલી રહ્યાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ૧૧ને પકડી લીધા હતાં.

પોલીસે ઘરધણી જાદવ છગનભાઇ કંસારા (ઉ.૬૦), ભરત ગોકળભાઇ વાઢેર (ઉ.૫૪), દિનેશપરી હિરાપરી ગોસ્વામી કઉ.૫૫), સદરૂદ્દીન ઇસ્માઇલભાઇ પરબતાણી (ઉ.૬૩), રજની નારણભાઇ નારણીયા (ઉ.૩૦), સમસુદ્દીન કમરૂદ્દીન રૂપાણી (ઉ.૩૧), જયદીપ જાદવભાઇ કંસારા (ઉ.૨૭), અક્ષય કિશોરભાઇ બોપલીયા (ઉ.૨૦), રવિ છગનભાઇ નારણીયા (ઉ.૨૬), ધર્મેશ વાલજીભાઇ સાકરીયા (ઉ.૧૯) અને નિતીન કાંતિભાઇ સુદ્રા (ઉ.૧૯)ની ધરપકડ કરી ગંજીપાના અને રૂ. ૧૯૩૩૦ની રોકડ કબ્જે લીધી હતી. વૃધ્ધ જાદવબાપાએ નાલ ઉઘરાવી જૂગાર રમાડવાનું શરૂ કર્યુ હતું.

એસીપી જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ ડી. પી. ઉનડકટ, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, પુષ્પરાજસિંહ પરમાર, હરેશગીરી, યોગેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઇ, યુવરાજસિંહ સહિતે આ દરોડો પાડ્યો હતો.

(4:09 pm IST)