Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ક્ષત્રિય સમાજના મહિલા પદ્મિનીબા વાળાની તબિયત .લથડી :બ્લડ પ્રેશર લો થતાં AIIMSમાં દાખલ કરાયા

રૂપાલાની ટિકિટ રદની માગ સાથે પદ્મિનીબા 14 દિવસથી અન્ન ત્યાગ કર્યો હતો.

રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલા માટે કરેલા વિવાદિત નિવેદનથી સમગ્ર સમાજમાં રોષ છે. દરમિયાન ક્ષત્રિય સમાજના મહિલા . પદ્મિનીબા વાળાની તબિયત લથડી છે.બ્લડ પ્રેશર લો થતાં AIIMSમાં દાખલ કરાયા છે. જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.તે રૂપાલાની ટિકિટ રદની માગ સાથે પદ્મિનીબા 14 દિવસથી અન્ન ત્યાગ કર્યો હતો.

   સાંજના સમયે પદ્મિનીબા વાળાની તબિયત લથડતાં તેમને AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. પદ્મિનીબાનું બ્લડ પ્રેશર લો થઇ ગયું હોવાથી નબળાઇ આવી ગઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. 14 દિવસથી તેઓ અન્ન ત્યાગ ઉપર હોવાથી માત્ર પ્રવાહી ગ્રહણ કરી રહ્યા છે. અને તેના કારણે જ આજે તેમની તબિયત લથડી હોવાનું જાણવા મળી રહ્યું છે.

(10:40 pm IST)