Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

આશાપુરાનગરમાં પુત્રની બીમારીની ચિંતામાં વૃદ્ધા નંદકુવરબાનો આપઘાત

એકના એક પુત્રની કેન્સરની બીમારીની સારવારની ચિંતામાં વૃદ્ધાએ એસીડ પી લીધુ

રાજકોટ, તા. ૧૬ :. કોઠારિયા રોડ પર આશાપુરાનગરમાં રહેતા ગરાસિયા વૃદ્ધાએ પુત્રની બિમારીની ચિંતામાં એસીડ પી આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર આશાપુરાનગર શેરી નં. ૧૬માં રહેતા નંદકુવરબા ભુરૂભા જાડેજા (ઉ.વ. ૯૦) એ પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા ત્યાં તેનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. બનાવની જાણ થતા ભકિતનગર પોલીસ મથકના પીએસઆઈ એ.વી. પીપરોતર સહિતે સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વૃદ્ધાના બે પુત્રના અવસાન બાદ તેઓ એકના એક પુત્ર સાથે રહેતા હતા અને તેને પણ કેન્સરની બીમારી હોય તેની ચિંતામાં વૃદ્ધાએ આ પગલુ ભર્યુ હોવાનું ખુલ્યુ છે.(૨-૧૭)

(3:45 pm IST)