Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

લાલપુરમાં ગૌશાળા અને સંઘમાં પૂ.ધીરગુરૂદેવની પધરામણીથી હર્ષોલ્લાસ

રાજકોટ તા.૧૬ : શ્રી સ્થાનકવાસી જૈન સંઘ-લાલપુર ખાતે વૃંદાવન ફાર્મથી પૂ.શ્રી ધીરગુરૂદેવનું પદાર્પણ થતા સંઘ પ્રમુખ કમલેશ મહેતા, સુરેશ મહેતા વગેરે ભાઇ-બહેનો સ્વાગત યાત્રામાં જોડાયા હતા.

જૈન સમાજની વાડીમાં નવકારશી બાદ ગૌશાળામાં કાંતીલાલ જેસંતભાઇ મહેતા પ્રેરિત પશુ પાલન કેમ્પમાં પૂ.ગુરૂદેવે જીવદયાની મહત્તા સમજાવી હતી. સરપંચ અને પ્રમુખ સમીર ભેસદડીયા, મેઘજીભાઇ, અજાભાઇ, મહેન્દ્રભાઇ અને ડો. વગેરેનું મોમેન્ટોથી સન્માન કર્યા બાદ જૈનવાડીમાં પ્રવચન મધ્યે જૈનશાળાની બાલિકાઓએ ગીત વગેરે રજૂ કરેલ.  સંઘલાણીમાં ટ્રાવેલબેગ આપવામાં આવેલ.

સુરેશ મહેતાએ પૂ.ગુરૂદેવના ઉપાશ્રય નૂતનીકરણ, જૈન ભોજનાલય અને જીવદયાની પ્રવૃતિને બિરદાવી હતી. જીવદયાનું ફંડ થયેલ.

જયારે હાટકોલા ગામે રવિવારે પૂ.પ્રેમ ધીરગુરૂદેવની ૩૮મી દીક્ષા જયંતી અને માતુશ્રી ચંદનબેન ધીરજલાલ મણિયાર પ્રેરિત ચંદ્રપ્રભ જૈન ઉપાશ્રયનું ઉદ્ધાટન તેમજ મણિયાર પરિવાર પ્રેરિત ધૂમાડાબંધ ગામજમણ યોજાશે. આજે કાટકોલામાં મંગલ પ્રવેશ પ્રસંગે અનેરો માહોલ સર્જાયો હતો.(૭.૧પ)

 

(3:28 pm IST)