Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ અમદાવાદ ખાતે રવિવારે યોજાનારો મહાનવચંડી યજ્ઞ

રાજકોટ : શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ રાજકોટ છેલ્લા અઢાર વર્ષથી સૌથી મોંઘા એવા હૃદયરોગના ઓપરેશન તદ્દન વિનામૂલ્યે કરે છે. આ હોસ્પિટલ દ્વારા અમદાવાદ ખાતે પણ હૃદયરોગની તકલીફ ધરાવતા બાળકો માટેની હોસ્પિટલ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવે છે. આ હોસ્પિટલમાં ચાર અદ્યતન ઓપરેશન થિએટર અને બે કેથલેબ રહેશે. આ હોસ્પિટલની કેપેસીટી ૩૦૦ બેડની રહેશે. આ શુભકાર્ય નિમિતે થઈ રહેલી પૂજામાં રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયમૂર્તિ કલ્પેશભાઈ ત્રિવેદી, ગુજરાતના ન્યાયમુર્તિ મુકેશભાઈ શાહ, ગુજરાતના એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી, જાણીતા ઉદ્યોગપતિ ચિમનભાઈ અગ્રવાલ, ધીરેનભાઈ વોરા, મનીષભાઈ શાહ સહિત ઘણા નામાંકિત મહાનુભાવો હાજરી આપશે.

(4:04 pm IST)