Gujarati News

Gujarati News

News of Sunday, 16th January 2022

રાજકોટમાં વૃદ્ધાશ્રમમાં કોરોના વિસ્ફોટ : એક સાથે 13 વડીલો કોરોના સંક્રમિત

ગોંડલ રોડ પર શ્રી રમણિક કુંવરબાઇ વૃદ્ધાશ્રમમાં કોરોના બ્લાસ્ટથી આરોગ્ય તંત્રમાં દોડધામ

રાજકોટના એક વૃદ્ધાશ્રમમાં કોરોના બ્લાસ્ટ થયો છે. મળતી માહિતી મુજબ, રાજકોટના ગોંડલ રોડ પર શ્રી રમણિક કુંવરબાઇ વૃદ્ધાશ્રમમાં કોરોના વિસ્ફોટ થયો છે.

આ વૃદ્ધાશ્રમમાં એક સાથે 13 વડીલો કોરોના સંક્રમિત થયા છે. તમામ 13 વડીલોને સામાન્ય લક્ષણો જનતા કોરોના ટેસ્ટ કરાવ્યા હતા જે પોઝિટિવ આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. વૃદ્ધાશ્રમમાં એક સાથે 13 લોકો કોરોના સંક્રમિત થતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. તમામ વડીલોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે

(11:53 pm IST)