Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયો

૧૮૦ વિદ્યાર્થીઓને શિલ્ડ-પ્રમાણપત્ર એનાયતઃ સંગીતકાર પંકજ ભટ્ટ, ઉદ્યોગકાર દિનેશ પંડયા તથા શાસ્ત્રી રમેશભાઇ ઠાકરને બ્રહ્મરત્ન એવોર્ડઃ બ્રહ્મ અગ્રણી કશ્યપભાઇ શુકલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન

રાજકોટ તા. ૧૬ : ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન થયો. આ પ્રસંગે બ્રહ્મઅગ્રણી કશ્યપભાઇ શુકલ, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ દર્શિતભાઇ જાની, ગુજરાત નાટ્ય અકાદમીના ચેરમેન પંકજભાઇ ભટ્ટ, એડશોપના ચેરમેન દિનેશભાઇ પંડયા, ભાગવતાચાર્ય શાસ્ત્રી રમેશભાઇ ઠાકર, ઇનોવેટિવ સ્કુલના સંચાલક નિરેનભાઇ જાની બ્રહ્મૃમાજના પૂર્વ પ્રમુખ જનાર્દનભાઇ આચાર્ય, અતુલભાઇ પંડિત, ડો. કિરીટભાઇ પાઠક, બગસરા બ્રહ્મમાજ પ્રમુખ બકુલભાઇ દિક્ષીત તથા તેની ટીમ, કમલેશભાઇ જોશી, યોગેશભાઇ ભટ્ટ, પરાગભાઇ ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ૧૮૦ થી વધુ વિદ્યાર્થીઓને મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા તથા સમાજના વિવિધ ક્ષેત્રમાંથી પ્રતિવર્ષ ત્રણ શ્રેષ્ઠીઓ પસંદ કરી બ્રહ્મરત્ન એવોર્ડ આપવામાં આવે છે આ વખતે જાણીતા સંગીકાર પંકજભાઇ ભટ્ટ, ઉદ્યોગ સાહસિક દિનેશભાઇ પંડયા તથા શાસ્ત્રી રમેશભાઇ ઠાકરનું બ્રહ્મરત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.

આ સૌ પ્રથમ ડો. અતુલભાઇ વ્યાસ દ્વારા સંસ્થાના ટ્રસ્ટી સ્વ. ડો. હિતેશભાઇ જોશીને યાદ કરી તેમની સ્મૃતિમાં બે મિનિટ મૌન પાળ્યુ હતું.

સમગ્ર કાર્યક્રમનું આયોજન મેનેજીંગ ટ્રસ્ટી દર્શિતભાઇ જાની, પ્રમુખ ડો. અતુલભાઇ વ્યાસ અને મહામંત્રી વિપુલભાઇ શુકલના માર્ગદર્શન હેઠળ કમિટિ મેમ્બર્સ મુકેશભાઇ ઠાકર, નિકેતભાઇ જોશી, વિમલભાઇ જાની, સતીષભાઇ રાવલ, નયનભાઇ ભટ્ટ, દુષ્યંતભાઇ રાવલ, અજયભાઇ જોશી, પંકજભાઇ મહેતા, કેતનભાઇ જોશી, કિશોરભાઇ જાની, ભાવિનભાઇ રાવલ, કલ્પેશભાઇ રાવલ, કરણભાઇ જાની, મુકેશભાઇ શુકલ, વિપુલભાઇ પંડયા, હિતેન્દ્રભાઇ જાની, શીવમભાઇ રાવલ, કપીલભાઇ ભટ્ટ, મુકેશભાઇ વ્યાસ, ભાવેશભાઇ જોશી, મયુરભાઇ પાઠક તથા બહેનોમાંથી દિપાબેન જાની, માલતીબેન જાની ધાત્રીબેન ભટ્ટ, કવિતાબેન જાની, બિંદુબેન દવે, હિનાબેન રાવલ, હેમાલીબેન રાવલ, મિનાક્ષીબેન જોશી, મીનાબેન જાની, નેહાબેન રાવલ વગેરે કાર્યરત રહ્યા હતા. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

(3:53 pm IST)