Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

પડધરીમાં કાલે રામાનંદાચાર્ય જયંતિ ઉજવાશે

ગુરૂપૂજન-વિદ્યાર્થી સન્માન અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

રાજકોટ તા. ૧૬ : વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ પડધરી તાલુકા મંડળ દ્વારા જગતગુરૂ શ્રી આચાર્યશ્રી મહારાજના ૭ર૦ મો જન્મ જયંતી મહોત્સવ, તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ અને બ્લડ ડોનેશન કેમ્પનું તા.૧૭ ના શુક્રવારે શ્રી ડોડીયા હનુમાનજી મહારાજની જગ્યામાં પડધરી ખાતે આયોજન કરવામાં આવેલ છે.

આ પાવન પ્રસંગે ગુરૂપૂજન ૧૦૧ દિપકની સમુહ આરતી, સંત સભા દાતાઓનું સન્માન સમુહ ભોજન અને વીણા વાદીની વિદ્યા સન્માન અંતર્ગત પડધરી તાલુકાના વસતા રામાનંદી સાધુ સમાજના ૮ર વિદ્યાર્થીઓને સિલ્ડ, સર્ટીફીકેટ અને ગિફટથી સન્માનીત કરવામાં આવશે.

આ પ્રસંગે રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમને સફળ બનાવવા મંડળના પ્રમુખ સંદીપભાઇ નિમાવતની સાથે હિરેનભાઇ નિમ્બાર્ક, જયસુખભાઇ કુબાવત, મનીષભાઇ નિમાવત, ભાવિનભાઇ અગ્રાવત, કમલેશભાઇ કુબાવત, અરવિંદભાઇ અગ્રાવત તથા ઉદયભાઇ અગ્રાવત જહેમત ઉઠાવી રહ્યા છે પડધરી તાલુકામાં વસતા જ્ઞાતિબંધુઓને આ ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી થવા જાહેર અનુરોધ કરાયો છે.

(3:44 pm IST)