Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

મારવાડી કોલેજમાં સુર્ય નમસ્કાર

રાજકોટઃ મારવાડી કોલેજ ખાતેના એનએસએસ યુનિટના સ્વયંસેવકો દ્વારા સમાજલક્ષી વિવિધ પ્રવૃતિનું અવાર નવાર આયોજન કરવામાં આવેછે. ભારતમાં ૧૯૮૪ થી દર વર્ષે સ્વામી વિવેકાનંદ જયંતીને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે. મારવાડી યુનિવર્સિટીના પ૦૦ થી વધારે છાત્રો, પ્રાધ્યાપકો રજીસ્ટ્રાર અને ડીન દ્વારા સવારે યોગ અને સુર્ય નમસ્કાર સાથે સ્વામી વિવેકાનંદજીના જીવન અને ઉપદેશ સાથે આ દિવસની ઉજવણી કરી હતી, સવારના મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં ગુલાબી ઠંડીના વાતાવરણમાં દરેક લોકોએ આહલાદક અનુભૂતિ કરેલી અને ભાગ લેનાર દરેક વ્યકિતઓએ દરરોજ સુર્યનમસ્કાર કરવાનો સંકલ્પ કર્યો હતો તે સમયની તસ્વીર

(9:51 am IST)