Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

દિવ્‍યાંગોને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન

દિવ્‍યાંગોને ગુજરાત સરકાર તેમજ કેન્‍દ્ર સરકારની અનેકવિધ યોજનાઓ જેવી કે બસ પાસ, પેન્‍સન, નિરામયા યોજના, સાધન સહાય સહીતના લાભો અંગે જાણકારી મળી રહે તેવા હેતુથી દિવ્‍યાંગ બાળકો માટેની ‘પ્રયાસ' સ્‍કુલના સેક્રેટરી ભાસ્‍કરભાઇ પારેખ દ્વારા નિઃશુલ્‍ક માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્‍યો હતો. જેમાં ફીઝીયોથેરાપીસ્‍ટ ડો. પ્રિયા જેસ, સાઇકોલોજીસ્‍ટ ભુમિકા દુધાત્રા, એજયુકેટર પારૂલબેન, પોલીસી નિષ્‍ણાંત અશ્વિનભાઇ, અરવિંદભાઇ વોરા, આકાંક્ષાબેન વગેરેએ ઉપસ્‍થિત રહી દિવ્‍યાંગ બાળકોને તેમજ તેમના વાલીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. ૧૫૦ થી વધુ લોકોએ માર્ગદર્શન મેળવ્‍યુ હતુ.

(3:45 pm IST)