Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

શિવસેના દ્વારા જલારામ બાપાની શોભાયાત્રાનો સત્કાર

 રાજકોટ : ગઇકાલે સંત શિરોમણી પૂજય જલારામ બાપાની ૨૧૯મી જન્મ જયંતિના અનુસંધાને નિકળેલી શોભાયાત્રાનું શિવસેના એકમ દ્વારા જયુબેલી બાગ ચોક ખાતે ભકિતસભર સ્વાગત કરાયું. આ પ્રસંગે આ શોભાયાત્રાના આયોજકો અને સમાજના અગ્રણીઓને પણ ફુલડે વધાવ્યા હતા. આ પ્રસંગે શિવસેનાના ગુજરાત રાજય સંકલન સમિતિના સદસ્ય- જીમ્મીભાઇ અડવાણી, શહેર પ્રમુખ ચંદુભાઇ પાટડીયા, શહેર ઉપપ્રમુખ નિલેષભાઇ ચૌહાણ, જિલ્લા ઉપપ્રમુખ જયપાલસિંહ જાડેજા, બિપીનભાઇ મકવાણા (માધાપર પ્રમુખ), પ્રકાશ જંજવાડીયા, કાપડીભાઇ સહિતનાઓ હાજર રહયા હતા.

(3:46 pm IST)