Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

અનોખી બાત...

રાજકોટ માટે જાત નિચોવી નાખનારા નેતાઓનાં પરિવારજનોનાં હસ્તે દિપ પ્રાગટય થશે

રાજકોટઃ ૧૯ મી નવેમ્બરે રાજકોટ  કોર્પોરેશનનાં સ્થાપના દિને યોજાનાર સંગીત સંધ્યાના આ કાર્યક્રમનું દિપ પ્રાગટય રાજકોટ શહેરનાં વિકાસ માટે જાત નિચોવી નાખનાર નેતાઓનાં પરીવારજનોનાં હસ્તે કરાવવાનો અનેરો અને  પ્રશંસનીય નિર્ણય સમાજ કલ્યાણ સમીતીનાં ચેરમેન આશીષ વાગડીયા દ્વારા લેવાયો છે.

આ સંગીત સંધ્યાનું દિપ પ્રાગટય પુર્વ મેયર સ્વ.અરવિંદભાઇ મણીયારનાં પુત્ર   કલ્પકભાઇ મણીયાર તથા પુર્વ વિપક્ષી નેતા સ્વ. જયંતીભાઇ કુંડલીયાના પુત્ર કિરીટભાઇ કુંડલીયા અને પુર્વ સાંસદ સ્વ. ચિમનભાઇ શુકલના પુત્ર કૌશીકભાઇ શુકલ તથા પુર્વ મેયર જનકભાઇ કોટક આ તમામના મુખ્ય મહેમાન પદે થશે. આમ ભાજપનાં જુના અને ધુરંધર નેતાઓને આ કાર્યક્રમમાં અનેરૂ સ્થાન અપાતા આ નિર્ણયની પ્રસંશા થઇ રહી છે.

(3:43 pm IST)