Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

અંબિકા પાર્કમાં પૂ.જલારામબાપાની ૨૧૯મી જન્મજયંતિની ભાવભેર ઉજવણીઃ આરતી- સમૂહ પ્રસાદ- સ્નેહમિલન સંપન્ન

રાજકોટઃ સંત શિરોમણી પૂ.જલારામ બાપાની ૨૧૯મી જન્મજયંતિની અંબિકા પાર્ક. રૈયા રોડ ખાતે ભાવપૂર્વક ઉજવણી થઈ હતી. અંબિકા પાર્કના ઉત્સવ મેદાનમાં પૂ.બાપાની મૂર્તિની સ્થાપના કરી અદમ્ય ઉત્સાહપૂર્ણ પૂજન- અર્ચન કરવામાં આવેલ. સાથો-સાથ અન્નકૂટ દર્શન તથા મહાઆરતી ૭ કલાકે હરીશભાઈ રાઠોડ પરિવાર દ્વારા કરાઈ હતી. ત્યારબાદ કેક કટીંગ કરવામાં આવેલ. ત્યારબાદ અંબિકા પાર્ક ફલેટ હોલ્ડર્સ પરિવારનું નૂતન વર્ષનું સ્નેહ મિલન અને મહાપ્રસાદ યોજાયેલ. આ પ્રસંગે શ્રીમતી અંજલીબેન વિજયભાઈ રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, પુષ્કરભાઈ પટેલ, રાજુભાઈ અઘેરા, દીનેશભાઈ કારીયા, અનીલભાઈ પારેખ, મનુભાઈ વઘાસીયા, મહેશભાઈ રાઠોડ, ડી.બી.ખીમસુરીયા, નીતિનભાઈ ભૂત, રઘુભાઈ ધોળકીયા સહિતના ભાજપ અગ્રણીઓ તથા રેસકોર્ષ કલબના પ્રમુખ મુકેશભાઈ દેશાઈ, હુસેનીભાઈ, રાકેશભાઈ શાહ સહિતના મહેમાનોએ દર્શન- મહાપ્રસાદનો લાભ લીધો હતો. તેમ અંબિકા પાર્કના  પ્રમુખશ્રી નરેન્દ્રસિંહ ઝાલા, સેક્રેટરીશ્રી પ્રતાપભાઈ વોરા, ખજાનચીશ્રી યશવંતભાઈ ભટ્ટની યાદીમાં જણાવાયું છે.

(3:32 pm IST)