Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

કાલે વીરભગતસિંહ ગાર્ડન લાફીંગ કલબનો સ્થાપના દિનઃ નિઃશુલ્ક લાફટર થેરાપી

લાફટર થેરાપીસ્ટ જીતેન્દ્રભાઈ ઠક્કરનું સંચાલન

રાજકોટ,તા.૧૫: વીર ભગતસિંહ ગાર્ડન લાફીંગ કલબનો સ્થાપના દિન હોય આવતીકાલે તા.૧૬ના શુક્રવારે સવારે ૬ થી ૭ વીર ભગતસિંહ ગાર્ડન (યુનિવર્સીટીરોડ, એસ.એન.કે. સ્કૂલની બાજુમાં) ખાતે નિઃશુલ્ક લાફટર થેરાપીનો કાર્યક્રમ યોજાએલ છે. લાફટર થેરાપીનુ સંચાલન જાણીતા લાફટર થેરાપીસ્ટ શ્રી જીતેન્દ્રભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રેકિટકલ તેમજ થીયરીકલ રોજીંદા જીવનમાં શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક લાભ કઈ રીતે લઈ શકાય તેનુ હાસ્યની રેલમછેલ વચ્ચે હાજર રહેલ દરેક વ્યકિત પુરતુ જ્ઞાન મેળવી શકશે. જાહેરજનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે. વિશેષ માહિતી માટે જીતેન્દ્રભાઈ ઠકકર (મો.નં.૯૪૨૭૨ ૬૪૩૬૦)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(2:39 pm IST)