Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

શનિવારે કારડીયા રાજપુત સમાજના ૩૭૦ વિદ્યાર્થીઓનું સન્માન- સ્નેહમીલન

રાજકોટ,તા.૧૫: શ્રી કારડીયા રાજપૂત સમાજ (રામજી મંદિર,૨- રજપૂતપરા રાજકોટ)ના પ્રમુખથી અરૂણભાઈ સોલંકીની યાદીમાં જણાવવામાં આવે છે કે તા.૧૭ને શનિવારે શ્રી કારડીયા રાજપૂત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ તેમજ સમાજનો નવા વર્ષનો સ્નેહ મિલન કાર્યક્રમ સવારે ૯ કલાકે રણછોડદાસબાપુ કોમ્યુનિટી હોલ યુનીટ નં-૧ આનંદ નગર કવાટર્સ રાજકોટ ખાતે રાખેલ છે.

આ કાર્યક્રમમાં કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા, પૂ.જેરામદાસ બાપુ (ખોડીયાર આશ્રમ કાગદડી), શ્રી જસાભાઈ બારડ (પૂર્વ પ્રધાન), શ્રી લક્ષ્મણભાઈ પરમાર (પૂર્વ પ્રધાન), રમેશભાઈ ચૌહાણ, શ્રી મહેશભાઈ રાજપૂત, શ્રી ગોવિંદભાઈ ડોડીયા (સતાપર- બાટવા કા.રા.સમાજ), શ્રી મનોજસિંહ ઝાલા (કા.રા.સમાજ ગીર સોમનાથ), શ્રી પ્રતાપસિંહ ગોહિલ (કર્મચારી મહામંડળ રાજકોટ), શ્રી અજયભાઈ પરમાર, શ્રી ભરતસિંહ સોલંકી (કા.રા. સમાજ અમદાવાદ), શિવાભાઈ સોલંકી (પ્રમુખ કોડીનાર નગર પાલીકા) વિ.ઉપસ્થિત રહેશે. ૧ થી ૩ વિજેતાઓને શિલ્ડ તેમજ ભેટ અને પ્રમાણપત્ર સહિત કુલ ૩૭૦ ઈનામો આપવામાં આવશે.

આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સર્વશ્રી પ્રમુખશ્રી અરૂણભાઈ એન સોલંકી, ઉપ પ્રમુખ નવલસિંહ ચુડાસમા, મંત્રીશ્રી ગુલાબસિંહ સોલંકી, સંગઠન મંત્રી રમેશભાઈ એમ મકવાણા, જીતુભાઈ સેલારા, સુરેશભાઈ પરમાર, કારોબારી સભ્ય વજેસિંહ વી સોલંકી, ભુપતસિંહ એમ.ઝાલા, વિશાલસિંહ અને ચૌહાણ, દિલીપભાઈ વી.રાઠોડ, રાકેશભાઈ બી.દેવડા, ભુપતસિંહ એ.ચૌહાણ, હેમંતસિંહ એચ સોલંકી, વિમલ એ.પરમાર, જયદિપસિંહ સી.વાઘેલા, પ્રતાપસિંહ બી.સોલંકી, હરિસિંહ ડી.પરમાર, સુરેશભાઈ એન.ભટ્ટી, દિલપસિંહ વી.ગોહેલ, ચિરાગ ડી.ભટ્ટી, સુનીલભાઈ નકુમ, જયપાલભાઈ ભટ્ટી, વજુભાઈ પરમાર, વિજયભાઈ પરમાર, કલ્પેશ પરમાર મિતેષ નકુમ પ્રધ્યુમનસિંહ ભટ્ટી જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(2:37 pm IST)