Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

જંગલેશ્વરની ૧૦ વર્ષની બાળા મન્‍તાસા સૈયદને તાવ ભરખી ગયો

રાજકોટ તા. ૧પ :.. જંગલેશ્વરમાં રહેતી પરપ્રાંતિય બાળાનું તાવની બીમારીથી સારવાર દરમ્‍યાન મોત નિપજતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ મુળ યુ.પી.ના વતની હાલ રાજકોટ જંગલેશ્વર શેરી નં. ર માં છેલ્લા સાત વર્ષથી રહેતા નઇમભાઇ સૈયદની ૧૦ વર્ષની પુત્રી મનતાસાને છેલ્લા બે દિવસથી તાવ આવતો હોઇ, તેથી વિસ્‍તારમાં ખાનગી ડોકટરની દવા લીધી હતી. પરંતુ સારુ ન થતા તેને સારવાર માટે ગઇકાલે સીવીલ હોસ્‍પિટમાં ખસેડાઇ હતી. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું. મૃતક બાળકી બે બહેન અને ચાર ભાઇમાં પાંચમાં નંબરની હતી. પિતા મજૂરી કરે છે આ અંગે ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ એ. વી. પીપરોતર તથા રાઇટર રામદેવસિંહે કાર્યવાહી કરી હતી.

(12:22 pm IST)