Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

રવિવારે મોટા આંકડીયામાં શંખાણી મહેતા પરિવાર દ્વારા યજ્ઞ

રાજકોટ તા.૧૫: અમરેલી જિલ્લાના મોટા આંકડીયામાં બિરાજમાન સૌરાષ્ટ્ર બાજ ખેડવાળ બ્રાહ્મણ પરિવારના શંખાણી મહેતા પરિવાર દ્વારા તા.૧૮ને રવિવારે યજ્ઞ તથા નૈવેદ્ય પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

કુળદેવી માતાજી અને સુરાપુરા દાદાના સ્થાનક, મેઇન બજાર, મોટા આંકડીયા, જિ.અમરેલી ખાતે તા.૧૮ને રવિવારે સવારે ૮ થી ૧૦ યજ્ઞ યોજાશે. અને બપોરે ૧૨.૩૦ થી ૧.૩૦ સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

પરિવારજનોને લાભ લેવા સ્વ. સવિતામા  હરિબાપા મહેતા, આયોજક ગં.સ્વ. કંચનબેન કશ્યપભાઇ મહેતા, ભરતભાઇ ધનજીભાઇ મહેતા, પ્રવિણભાઇ ધનજીભાઇ મહેતા, સ્વ. ધનજીભાઇ ભગવાનજીભાઇ મહેતા પરિવાર (લાઠી) દ્વારા આમંત્રણ પાઠવાયું છે. વધુ વિગત માટે વિજયભાઇ મહેતા (મો. ૬૩૫૨૭ ૩૫૨૩૩), કિર્તીભાઇ મહેતા (મો. ૯૮૨૪૨ ૩૯૪૦૨), ભરતભાઇ મહેતા (મો. ૯૪૨૬૨ ૨૨૨૦૬) ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:06 pm IST)