Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ચક્ષુદાન જનજાગૃતિ અર્થે માનવ સાંકળ

 વિવેકાનંદ યુથ કલબ પ્રેરીત ચક્ષુદાન જનજાગૃતિ અભિયાન સમિતિ દ્વારા તાજેતરમાં શહેરના ગોંડલ રોડ પર આવેલ સ્‍વામિનારાયણ ગુરૂકુળ ખાતે માનવ સાંકળનો નવતર કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. જેમાં ગુરૂકુળના છાત્રો સહીત ૭૦૦ થી વધુ લોકોએ ઉત્‍સાહભેર જોડાઇ માનવ સાંકળ બનાવી હતી. એનસીસીના ૧૦૦ કેડેટસ યુનિફોર્મમાં સજજ થઇને જોડાયા હતા. આ ઉમદા કાર્યમાં ગુરૂકુળના સંત પૂ. જનમંગલદાસ સ્‍વામીએ આશીર્વચનો આપેલ અને સહયોગથી ખાત્રી આપી હતી. માનવ સાંકળના કાર્યક્રમમાં મોઢ વણિક સમાજના કિરીટભાઇ સી. પટેલ, લોકવિજ્ઞાન કેન્‍દ્રના ડાયરેકટર ડો. રમેશભાઇ ભાયાણી, જનકલ્‍યાણ ટ્રસ્‍ટના ઉમેશભાઇ મહેતા, કડીયા સમાજના અગ્રણી મહેશભાઇ પરમાર, સ્‍વામિનારાયણ ગુરૂકુળના પ્રિન્‍સીપાલ કિશોરભાઇ દવે, રઘુવંશી અગ્રણી દોલતભાઇ ગદેશા વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર આયોજનની સફળતા માટે સંસ્‍થાના અનુપમ દોશી, પંકજ રૂપારેલીયા, પરિમલભાઇ જોષી, જયેન્‍દ્રભાઇ મહેતા, નૈષધભાઇ વોરા, દિનેશભાઇ ગોવાણી, દક્ષિણભાઇ જોષી, ગુણેન્‍દ્ર ભાડેશીયા, કિશોર ટાકોદરા, મહેશ જીવરાજાની, અનિલ ધોળકીયા, મહેશભાઇ વ્‍યાસ, નયન ગંધા, વિપુલભાઇ ભટ્ટ તથા ગુરૂકુલ પરિવાર કાર્યરત રહેલ.

(4:26 pm IST)