Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

બ્રહ્મલીન શંકરાચાર્ય સ્‍વરૂપાનંદ સરસ્‍વતીજીને ટોડા ગામ દ્વારા શ્રધ્‍ધાંજલી

 રાજકોટ : દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્‍વરૂપાનંદ સરસ્‍વતીજી બ્રહ્મલીન થતાં સમગ્ર રાષ્‍ટ્રની સાથે કાલાવડ તાલુકાનું ટોડા ગામ પણ શોકાતુર બનીને પૂજ્‍ય શંકરાચાર્યજીને શ્રધ્‍ધાસુમન અર્પણ કર્યા હતા. બ્રહ્મલીન શંકરાચાર્ય સ્‍વરૂપાનંદ સરસ્‍વતીજીને નાના એવા ટોડા ગામ સાથે વિશેષ નાતો રહ્યો હતો. ગામના આગેવાન અને સેવાનિવૃત ડી.વાય.એસ.પી. જયેન્‍દ્રસિંહજી જાડેજાએ તકે સંસ્‍મરણો વાગોળતા જણાવેલ કે સને ૨૦૦૦માં નવનિર્મિત ભવ્‍ય પંચેશ્વર મહાદેવની પ્રાણ-પ્રતિષ્‍ઠા તેમના પાવન હાથો દ્વારા સંપન્ન થયેલ. આ તકે ત્રણ દિવસનો ભવ્‍ય મહોત્‍સવ  રાખવામાં આવેલ. અને પ.પૂ. સ્‍વામીજીએ અમને સમય આપીને અમારા ગામની ભૂમિને તેમના ચરણો દ્વારા પાવન કરેલ. ટોડા ગામના સરપંચ અને તમામ જ્ઞાતિના આગેવાનોએ પણ પરમ પુજય શંકરાચાર્યજીને શ્રધ્‍ધાંજલી આપેલ

(3:56 pm IST)