Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

સુખસાગરમાં રહેતાં પ્રફુલભાઇ નથવાણીનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૫: દોઢસો ફુટ રીંગ રોડ ગોવર્ધન ચોક માધવ પાર્ક ગેઇટની અંદર સુખસાગર-૭માં રહેતાં પ્રફુલભાઇ જમનાદાસભાઇ નથવાણી (ઉ.૫૯) રાતે ઘરે હતાં ત્‍યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જૂણાચે તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર છ ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. કેટલાક સમયથી તેઓ બિમાર રહેતાં હતાં. તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(5:14 pm IST)