Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

અધિવકતા પરિષદના ૩૧માં સ્‍થાપના દિનની ઉજવણી કરાઇ : પરિષદનું સંમેલન યોજાયુ : વકીલો ઉપસ્‍થિત રહ્યા

રાજકોટ તા. ૧૫ : અધિવકતા પરિષદ રાજકોટ મહાનગર દ્વારા સ્‍થાપના દિન ની જોરદાર ઉજવણી કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમ સંઘ કાર્યાલય ખાતે તા.૧૧-૯-૨૦૨૨ રવિવારના રોજ સવારે ૧૦ થી ૧૧ રાખવામાં આવેલ હતો. તેમાં રાજકોટ મહાનગરના અધિવકતા ભાઈઓ તથા બહેનો મોટી સંખ્‍યામાં જોડાયા હતા.
કાર્યક્રમમાં ખાસ ઉપસ્‍થિત રહેલ અધિવકતા પરિષદના પ્રદેશ મંત્રી તથા વિદ્યાર્થી પરિષદના જુના કાર્યકર્તા શ્રી જયેશભાઈ જાની તથા સંઘના ખૂબ જ જૂની પેઢીના સ્‍વયંસેવક તથા પૂર્વ ડીજીપી  ગિરીશભાઈ કે. ભટ્ટ તથા સિનિયર ધારાશાષાી જયદેવભાઇ શુક્‍લ બાર  સોસીએશનના ઉપપ્રમુખ પી.સી .વ્‍યાસ સાહેબ હાજર રહેલા હતા. કાર્યક્રમની શરૂઆતમાં અધિવક્‍તા પરિષદ રાજકોટ મહાનગર જયપ્રકાશભાઈ ફુલારાએ અધિવ વક્‍તા પરિષદની કામગીરીની માહિતી આપેલ હતી. તથા અધિવક્‍તા પરિષદના પ્રદેશ મંત્રી જયેશભાઈ જાની દ્વારા પરિષદના કાર્યક્રમથી માહિતગાર કરેલ હતી. સિનિયર અધી વક્‍તા  ગીરીશભાઈ કે. ભટ્ટ દ્વારા સંગઠનને મજબૂત કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ હતું.કાર્યક્રમની શરૂઆતમાં ભારત માતાના ફોટા પાસે દીપ પ્રાગટ્‍ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી દીપ પ્રાગટ્‍યમાં ગીરીશભાઈ ભટ્ટ, જયેશભાઈ જાની, જય પ્રકાશભાઈ ફુલારા જોડાયેલા હતા્‌.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઈ વ્‍યાસ દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેશભાઈ સાવલિયા, કપિલભાઈ શુક્‍લ, હસમુખભાઈ ગોહેલ, જીતેન્‍દ્રભાઈ ગોસ્‍વામી તથા સરોજબેન  દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

 

(3:42 pm IST)