Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

મિસ્ત્રીકામ ન મળતાં આર્થિક ભીંસ ઉભી થઇઃ રતનપરના નવીનભાઇનો આપઘાત

લુહાર પ્રોૈઢ ઝેરી ટીકડી પી ગયાઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૫: મોરબી રોડ પર આવેલા રતનપર ગામે રહેતાં નવીનભાઇ નાગજીભાઇ દાવડા (લુહાર) (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢે આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

નવીનભાઇ બહારથી ઝેરી ટીકડી પી ઘરે આવી ઉલ્‍ટીઓ કરવા માંડતાં પરિવારજનોએ પુછતાં ઘઉંમાં રાખવાની ટીકડીઓ પી લીધાનું કહેતાં તાકીદે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

નવીનભાઇ ચાર બહેન અને બે ભાઇમાં ચોથા હતાં. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પોતે મિસ્ત્રીકામ કરી ગુજરાન ચલાવતાં હતાં. કેટલાક મહિનાથી કામ મળતું ન હોઇ આર્થિક ભીંસ ઉભી થતાં આ પગલુ ભરી લીધાનું પરિવારજનોએ કહ્યું હતું. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી.

(5:12 pm IST)