Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ગત શનિ,રવિ,સોમ ના રાજકોટ શહેરના બાલાજીના મંદિરમા બાલાજીની આરતીમાં પુરા ઠાડમાઠથી હાજરી પુરાવતા મેઘરાજા

રાજકોટઃ  રાજકોટ શહેરમાં આવેલા ભુપેન્‍દ્ર રોડ પર બાલાજી મંદિરમાં શનિ, રવિ અને સોમ દરમ્‍યાન જયારે આરતી નો સમય થાય ત્‍યારે મેઘરાજાએ પોતાની ઠાઠમાઠથી હાજરી પુરાવેલી હતી. ભુપેન્‍દ્રરોડ પર આવેલા બાલાજીના મંદિરનો આરતીનો ટાઇમ ૭ વાગ્‍યાનો છે. ૭ વાગ્‍યા પહેલા આકાશમાં વરસાદ આવે એવા કોઇ એંધાણ પણ ના હોય અને વાદળ સાવ ચોખ્‍ખુ હોય અને જેવો આરતીઓ ટાઇમ ૭  વાગ્‍યાના ટકોરે આરતી ચાલુ થાય ત્‍યાતો મેઘરાજાની પુરા જોશથી પધરામણી થાય. જે ભકતો આરતી થતાની સાથે ઘર ભણી દોટ મૂકતા હોય તેને બાલાજીના મંદિરે ફરજિયાત દોઢ બે કલાક બેસવા માટેની ફરજ પાડી હતી, ને મેઘરાજા જ્‍યા આરતી પુરી કરીને પોતાની ધીમી ગતિ પકડે ત્‍યારે દર્શનાર્થીઓ દર્શને આવેલા, આરતીમાં આવેલા ભીંજાતા ભીંજાતા ઘર ભણી  દોટ મુકેલ હતી.

 

(11:32 am IST)