Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

આજીમાં નવા નીરના વધામણા

રાજકોટ : શહેરને પીવાનું પાણી પુરું પાડતા અને શહેરીજનોના દિલમાં જોડાયેલા અને જીવાદોરી સમાન આજી-૧ ડેમ આજરોજ ઓવરફલો થયેલ છે. જેના અનુસંધાને આજ નવા નીરના વધામણા કરતા મંત્રી અરવિંદભાઈ રૈયાણી, મેયર ડો.પ્રદિપ ડવ, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, ડે.કમિશ્નર આશિષકુમાર, સી.કે.નંદાણી, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, વોટર વર્કસ સમિતી ચેરમેન દેવાંગભાઈ માંકડ, એડી.સિટી એન્‍જીનીયર દેથરીયા તથા વોટર વર્કસના અધિકારીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(3:29 pm IST)