Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

વોર્ડ નં.૧-૪ માં 'સેવાસેતુ' કાર્યક્રમ યોજાયોઃ ૧૩૯પ અરજીઓનો નિકાલ

 રાજય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહીવટીતંત્રને પ્રજાલક્ષી બનાવવાના હેતુથી નાગરિકોની વ્યકિતગત રજુઆતોનો તેમજ રાજય સરકારની તથા રાજકોટ મહાનગરપાલિકાની યોજનાઓ સંબધિત પર્શ્નો સ્થળ ઉપર જ નિકાલ થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં-૦૧ વોર્ડ નં.૦૪માં ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૩૯૫ અરજીઓનુ નિકાલ આપ્યુ હતુ. તેમના નીકાલ માટે આ કાર્યક્રમ વોર્ડ નં.૦૧માં સાંસદ  મોહનભાઈ કુંડારીયાના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવેલ. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, કોર્પોરેટર બાબુભાઈ આહીર, અંજનાબેન મોરજરીયા, દુર્ગાબા જાડેજા, મંત્રી ચારુબેન ચૌધરી, વોર્ડ નં.૦૧ના પ્રભારી દિલીપભાઈ પટેલ, પ્રમુખ રસિકભાઈ બદ્રકીયા, મહામંત્રી કાનજીભાઈ ખાણધર, ભારતીબેન રાવલ, ભાજપ અગ્રણી હિતેશભાઈ મારૂ, જયદિપસિંહ જાડેજા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ત્યાંથી વોર્ડ નં.૦૪માં ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવેલ. આ પ્રસંગે ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, વોર્ડ પ્રમુખ સંજયભાઈ ગૌસ્વામી, મહામંત્રી કાનાભાઈ ડંડૈયા, પુર્વ કોર્પોરેટર રસિકભાઈ પટેલ, સુરેશભાઈ રૈયાણી, યુવા મોરચા વોર્ડ પ્રમુખ ચંદુભાઈ ભંડેરી, વોર્ડ અગ્રણીઓ જયંતિભાઈ ધાધલ, રવિભાઈ ગોહિલ, જેશીગભાઈ રાઠોડ, લાભભાઈ કુંગસીયા, જનકભાઈ કુંગસીયા, સોનલબેન ચોવટિયા, મનીષાબેન પટેલ, રાજશ્રીબેન માલવિયા, અનિલ શ્રીમાળી, અજયભાઈ લૌકીલ, ધીરૂભાઈ છૈયા, રામભાઈ બિહારી, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.(૨૩.૧૭)

(3:33 pm IST)