Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

દાઝી જતાં પારેવડાના દક્ષાબેનનું મોત

રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ લાઇટ જતાં દિવો કરતી વખતે ભડકો થયાનું કથનઃ બે માસુમ પુત્રો મા વિહોણા થઇ જતાં મકવાણા (કોળી) પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૧૫: કુવાડવાના પારેવડા ગામે દાઝી જતાં કોળી મહિલાનું મોત નિપજતાં બે માસુમ પુત્રો મા વિહોણા થઇ જતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ પારેવડા રહેતાં દક્ષાબેન વલ્લભભાઇ ચાવડા (કોળી) (ઉ.૩૦) તા. ૧૧ના રોજ લાઇટ ગઇ હોઇ સળગતા દિવામાં કેરોસીન પુરતાં હતાં ત્યારે ભડકો થતાં દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. આજે સવારે તેણીનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

મૃત્યુ પામનારના લગ્ન અગિયાર વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં બે પુત્ર છે. પતિ લાઇટના થાંભલા ફિટીંગની મજૂરી કરે છે. તેણીના માવતર નવગામ રહે છે. બનાવ અકસ્માતે જ બન્યાનું હાલ બહાર આવ્યું છે. કુવાડવા પોલીસ વધુ તપાસ કરે છે. (૧૪.૫)

(12:21 pm IST)