Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

મ.ન.પા.નાં સીટી ઇજનેર પદે વાય.કે.ગોસ્વામીની પસંદગી

બે ઉમેદવારોની પદાધિકારીઓની ઓફીસર્સ સીલેકશન કમીટીએ ઇન્ટરવ્યુ લઇને મ.ન.પા.નાં જ અનુભવી ઇજનેર પર પસંદગીનો કળશ ઢોળ્યો

રાજકોટ,તા.૧૫: મ.ન.પા.માં ઓ.બી.સી. કેટગરીની ખાલી પડેલી સીટી ઇજનેરની જગ્યા માટે મ્યુ.કમિશ્નર દ્વારા૬ ઉમેદવારોના અગાઉ ઇન્ટરવ્યુ લેવાયા હતા. જેમાંથી બે ઉમેદવારો ડેપ્યુટી ઇજનેર વાય.કે.ગોસ્વામી તેમજ ગૌતમ જોષી વેઇટીંગ લીસ્ટમાં એ પ્રકારે પસંદગી કરાયેલ.

દરમિયાન આજે મેયર પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ તેમજ શાસકનેતા વિનુભાઇ ઘવા અને વિપક્ષીનેતા ભાનુબેન સોરાણીએ વાય.કે. ગોસ્વામી તેમજ ગૌતમ જોષીના ઇન્ટરવ્યું લીધા હતા. જેમાંથી વાય.કે. ગોસ્વામીના માર્ક વધુ હોવાથી તેઓની સીટી ઇજનરે પદે પસંદગી કરાઇ હતી. હવે શ્રી ગોસ્વામીની કાયમી નિમણુંક માટે આગામી જનરલ બોર્ડમાં અરજન્ટ  દરખાસ્ત મોકલવામાં આવશે.

(3:53 pm IST)