Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

આકાશવાણી ચોક પાસેની સરકારી વસાહતમાં ચંદ્રિકાબેન સીંગરખીયાનો એસિડ પી આપઘાત

રાજકોટ તા. ૧૫: યુનિવર્સિટી રોડ આકાશવાણી ચોકમાં આવેલી સરકારી વસાહત બી-૬૦માં રહેતાં ચંદ્રિકાબેન ગોૈતમભાઇ સીંગરખીયા (ઉ.વ.૩૫) નામના વણકર મહિલાએ ગઇકાલે ઘરે એસિડ પી લેતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ તેમણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

યુનિવર્સિટી પોલીસને જાણ થતાં એએસઆઇ કે. કે. ઝાલા અને પ્રદિપભાઇ કોટડે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ચંદ્રિકાબેનને સંતાનમાં બે પુત્રી છે. પતિ એફએસએલમાં નોકરી કરે છે. કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.

(11:32 am IST)