Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

ઓગષ્ટમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના તમામ કલેકટરો ડે. કલેકટરો - મામલતદારોનો રેવન્યુ સેમીનાર

રર થી વધુ મુદાઃ સેટલમેન્ટ કમીશ્નર તથા મહેસૂલ સચિવ રાજકોટ આવશે

રાજકોટ તા. ૧પઃ આગામી તા. ૯ ઓગષ્ટના રોજ રાજકોટમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ કલેકટરો-ડે. કલેકટરો-મામલતદારોનો મહત્વનો એવો રેવન્યુ સેમીનાર યોજાઇ રહ્યો છે.

રાજયના સેટલમેન્ટ કમિશ્નરશ્રી હારીન શુકલા, મહેસુલ સચિવ શ્રી પંકજકુમારની અધ્યક્ષતામાં યોજાનાર આ રેવન્યુ સેમીનારમાં રર જેટલા મુદા અંગે ચર્ચા થશે.

આ મુદ્દાઓમાં તુમાર, ફાઇલ એન્કરીંગ સોફટવેર, રેવન્યુ વસુલાત, સેટલમેન્ટના કેસો, સ્ટાફની અછત, જમીનના-અપીલના કેસો, પડતર કેસો સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

તમામ કલેકટરોને તૈયારી સાથે આવવા ગાંધીનગરના તંત્રે સૂચના-આદેશો કર્યા છે.

(3:32 pm IST)