Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

મોટેલ ધી વિલેજ નજીક મંદિરના બાંકેડે બેઠા-બેઠા પડી જતાં ઉત્તમ પાટડીયાનું મોત

રાજકોટઃ કિસાનપરા ચોક નજીક રાધાકૃષ્ણ સોસાયટી-૧૮માં બાલમુકુંદ ખાતે રહેતાં ઉત્તમભાઇ ભૂપેન્દ્રભાઇ પાટડીયા (ઉ.૩૬) નામના યુવાન સાંજે મોટેલ ધી વિલેજથી આગળ શંકર ભગવાનના મંદિરે બાંકડા પર બેઠા હતાં ત્યારે અચાનક બેભાન થઇ પડી જતાં વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસ મથકના એએસઆઇ અજીતસિંહ જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:14 am IST)