Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ભાભીને કેરોસીન છાંટી જીવતી સળગાવનાર નણંદોને જન્મટીપ

રાજકોટ તા. ૧૫ : અમદાવાદના સરદારનગર વિસ્તારમાં ઉષા આકાશભાઇ સુજવાણી પોતાના પતિ અને પરિવાર સાથે રહેતી હતી. દરમિયાન તેની બે નણંદો જયશ્રીબેન અને રાણીબેનને નાણાં બાબતે ઉષાબેનના પતિ આકાશભાઇ સાથે અવારનવાર અણબનાવ બનતા હતા. બંને નણંદો વારંવાર ઉષાબેન સાથે પણ ઝઘડો કરતા હતા.

દરમિયાન ગત તા. ૩૦જ્રાક એપ્રિલ ૨૦૧૪ના રોજ જયશ્રીબેન અને રાણીએ તેની ભાભી ઉષાબેનના ઘરે આવી નાણાંકીય બાબતે ઝઘડો કરી બંને નણંદોએ વધારે ઉશ્કેરાઇ જઇ ઉષાબેન પર કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી હતી. જે બાદ બંને ભાગી ગયાં હતાં. ઉષાબેનને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જયાં ઉષાબેને તેમના મરણોત્મુખ નિવેદનમાં બંને નણંદો દ્વારા તેમને સળગાવી હોવાનું જણાવ્યું હતું.(૨૧.૧૩)

(11:45 am IST)