Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ગાંધીગ્રામ, કાલાવડ રોડ, સાધુ વાસવાણી વિસ્તારમાં વેરા શાખા ત્રાટકીઃ ૮ મીલ્કતોને તાળા

ઇસ્ટ ઝોન દ્વારા આજે ૪ લાખની વસુલાતઃ કડીયા નવ લાઇનમાં મીલ્કત હરરાજીમાં કોઇ લેવાલ ન મળ્યુ

રાજકોટ તા. ૧પ :.. મ્યુનિ. કોર્પોરેશનની વેરા શાખા દ્વારા બાકીદેરો વસુલવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે આજે વેસ્ટ ઝોનના કાલાવડ રોડ, ગાંધીગ્રામના અક્ષરનગર, સાધુ વાસવાણી સહિતના વિસ્તારમાં ૧ર મકાન ધારકોનો બાકી વેરો વસુલવા કાર્યવાહી કરતા ૮ મિલ્કત સીલ કરવામાં આવી છે. જયારે  ૧ મીલ્કતનું નળ કનેકશન કપાત કરવામાં આવ્યું છે. જયારે સેન્ટ્રલ ઝોન દ્વારા કઠીયા નવલાઇન વિસ્તારમાં ત્રણ મિલ્કતની હરરાજી કરવામાં આવી હતી. આ હરરાજીમાં કોઇ લેવાલ ન મળતા મિલ્કત એસ્ટેટ ને સોંપવામાં આવી છે. આ ઉપરાંત ઇસ્ટ ઝોનનાં સંસ્કાર ઇન્ડ એરીયા, આજી જીઆઇડીસી સહિતના વિસ્તારમાં કાર્યવાહી કરતા ૪ લાખની વસુલાત થવા પામી છે. અત્યાર સુધીમાં સામા કાંઠા વિસ્તારમાં ૧૦૦ મીલ્કત ધારકોએ રૂ. ર૮ લાખ તંત્રની તીજોરીમાં જમા કરાવ્યા છે.

(4:27 pm IST)