Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

રાજકોટ જિલ્લા બેંકના વહીવટથી ઓડીસાની બેંકવાળા પ્રભાવિત

રાજકોટ, તા.૧પ : રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી. ના જનરલ મેનેજરશ્રી વી.એમ. સખીયાની યાદીમાં જણાવ્યા મુજબ ખેડૂત અગ્રણી, સાંસદ શ્રી વિઠલભાઇ રાદડિયાના કુશળ વહિવટ રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે. બેંકના ચેરમેન તરીકે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાના કુશળ વહીવટના કારણે નાબાર્ડે પાયોનીયર બેંક તરીકે બિરદાવતા બેંકના મોડેલ વહીવટથી પ્રભાવિત થઇ દેશની તમામ સહકારી બેંકના સંચાલકોની  રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંકની એકસપોઝર વિઝીટ ગોઠવી આ બેંકની થાપણ, ધિરાણ, વસુલાત તથા ખેડૂતો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અભ્યાસ કરી અન્ય બેંકો પણ તેનંુ અનુકરણ કરી ગ્રામ્ય વિસ્તારના લોકો તથા ખેડૂતોના વિકાસ લક્ષી પ્રવૃતિ કરે તેવા નાબાર્ડના અભિગમના ભાગ રૂપે ઓડીસા રાજયની માયુરભંજ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લી. નંુ બોર્ડ ઓફ ડિરેકટર્સ બેંકના પ્રેસીડેન્ટ રાજકિશોર આચાર્ય, વાઇસ પ્રેસીડન્ટ જસ્મીન માજી તથા એ.જી.એમ. પ્રકાશચંદ્ર બારીક પ્રતિનિધિત્વ હેઠળની ટીમએ રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંકની  તા.૧૩ ના રોજ મુલાકાત લઇ બેંકની વિવિધ પ્રવૃતિઓનો અભ્યાસ કરેલ હતો.  અને સંતોષ વ્યકત કર્યો હતો.

માયુરભંજ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લી. ના બોર્ડ ઓફ ડિરેકટર આ બેંકની ઉપરોકત બેનમુન કામગીરી, બેંકની મુખ્ય કચેરીમાં ૨૪ કલાક ૩૬પ દિવસ લોકર ઓપરેટીંગ સુવિધા તેમજ રાત્રીના ૧૦ વાગ્યા સુધી દાગીના ધિરાણ સુવિધાની વ્યવસ્થા જોઇ ખુબ જ પ્રભાવિત થયેલ અને આ બેંકના ચેરેમેન જયેશભાઇ રાદડિયાના, બોર્ડ ઓફ ડિરેકટર્સ તથા મેનેજમેન્ટને ધન્યવાદ આપેલ હતા.

(4:03 pm IST)