Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

આણંદપર કોઠારીયા ગામમાં ચરાવડાની પરિણીતાએ કૂવામાં ઝંપલાવી જીવ દીધો

દિયરના લગ્ન આવતાં હોઇ પતિ સાથે નવા કપડાના પૈસા બાબતે ચડભડ થતાં માઠુ લાગ્યું ચરાડવાથી આ પરિવાર બળદ વેંચવા આવ્યો હતો

રાજકોટ તા. ૧૫: કુવાડવાના આણંદપર કોઠારીયા ગામમાં બળદ વેંચવા આવેલા મુળ હળવદના ચરાડવા ગામના પ્રવિણભાઇ ચોૈહાણની પત્નિ દિવાળી (ઉ.૨૫)એ ગઇકાલે ગામના સાર્વજનિક કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. દિયરના લગ્ન આવી રહ્યા હોઇ પતિ પાસે કપડા લેવા પૈસા માંગતા પતિએ માત્ર એક હજાર રૂપિયા જ આપતાં અને બીજા પૈસા બળદ વેંચાય પછી આપશે તેમ કહેતાં માઠુ લાગી જતાં આ પગલુ ભર્યાનું બહાર આવ્યું છે.

 

આણંદપર કોઠારીયામાં ગઇકાલે એક મહિલા કૂવામાં પડી ગયાની જાણ થતાં ગામલોકોએ બહાર કાઢી ૧૦૮ને જાણ કરી હતી. તેના ઇએમટી તબિબે તેણીને મૃત જાહેર કરતાં કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઇ. આર. એલ. ખટાણા, કે. સી. સોઢા અને સ્ટાફે પહોંચી કાર્યવાહી કરી હતી. તપાસમાં ખુલ્યા મુજબ દિવાળી અને તેના પતિ પ્રવિણ સહિતના પરિવારજનો મુળ ચરાડવાના વતની છે. તેઓ કોઠારીયા આણંદપર ગામે બળદ વેંચવા માટે આવ્યા હતાં. આગામી સમયમાં તેણીના દિયરના લગ્ન હોઇ નવા કપડા ખરીદવાના પૈસા બાબતે પતિ સાથે ચડભડ થતાં માઠુ લાગી જતાં તેણીએ જીવ આપી દીધો હતો.

આપઘાત કરનારના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં બે દિકરી છે. જેમાં એક ચાર વર્ષની અને બીજી આઠ માસની છે. (૧૪.૫)

(10:25 am IST)