Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

મંગળવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે નિઃશૂલ્ક ઓશો ધ્યાન શિબિર-સન્યાસ ઉત્સવ

સ્વીત્ઝરલેન્ડના સ્વામી પ્રેમ મૂર્તિના સાંનિધ્યમાં : ધ્યાન, ભકિત અને ભોજનના ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવવાનો અનેરો અવસરઃ નામ નોંધણી

રાજકોટ :.. ઓશોના સુત્ર ઉત્સવ આમાર જાતી આનંદ આમાર ગૌત્ર ને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન-કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં છેલ્લા ૩૩ વર્ષોથી રાત અને દિવસ ર૪ કલાક ઓશો પ્રવૃતિથી ધમધમતું વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર અવાર નવાર આયોજન કરવામાં આવે છે.

આગામી તા. ૧૭ ને મંગળવારના રોજ પૂનમ નિમિતે સ્વીત્ઝર લેન્ડના સ્વામી પ્રેમ મૂર્તિએ હર પૂનમની માફક આ પૂનમે શિબિરનું આયોજન કરેલ છે. શિબિરનું સંચાલન સ્વામી સત્ય પ્રકાશ કરવાના છે. બપોરના ૩ થી રાત્રીના ૮-૩૦ દરમ્યાન યોજેલ શિબિરમાં ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, લાફટર થેરેપીના નિષ્ણાત સ્વામી અંતર પથીક (જીતેન્દ્ર ઠક્કર) તથા સ્વામિ દેવ રાહુલ (મીસ્ત્રી નિતિનભાઇ) ના વિશેષ કાર્યક્રમો, સંધ્યા સત્સંગ, ઓશો વિડીયો દર્શન વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉપરોકત પૂનમની નિઃશુલ્ક શિબિરમાં સહભાગી થવા માટે ઓશો સન્યાસી તથા પ્રેમીઓને સ્વામી પ્રેમ મૂર્તિએ હાર્દિક અનુરોધ કરેલ છે.

સ્થળ :- ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ,વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ડી માર્ટ ની પાછળની શેરી, ૪ વૈદવાડી, રાજકોટ.

શિબિરમાં સહભાગી માટે નામ નોંધણી કરાવવી અત્યંત જરૂરી છે. જેના માટે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર રૂબરૂ અથવા સાથેમાં આપેલા મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા નામ નોંધણી કરાવી શકાશે.

વિશેષ માહિતી માટે તથા એસએમએસ દ્વારા નામ નોંધી માટે :- સ્વામી સત્ય પ્રકાશ  મો. ૯૪ર૭ર પ૪ર૭૬, જયેશભાઇ કોટક ૯૪ર૬૯ ૯૬૮૪૩ તથા મીસ્ત્રી નિતીનભાઇ ૯૯ર૪ર ૩૪૦૯૬ નો સંપર્ક કરવો.

(4:12 pm IST)