Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

ભાયાભાઈ સાહોલીયા પરિવારના આંગણે શ્રીનાથજીના ધ્વજાજીની કાલે પધરામણી

'ગિરીરાજ'-પ, જયરાજપ્લોટમાં સામૈયા-વરણાગી,અલોકિક દર્શન-વધાઈનો લાભ લેવા અનુરોધ

રાજકોટ, તા.૧૫: આવતીકાલે તા. ૧૬ના શનિવારે સાહોલીયા પરિવારના આંગણે શ્રીનાથજીના ધ્વજાજીની પાવન પધરામણી થઇ રહી છે રાજકોટની શ્રી વલ્લભીય વૈષ્ણવ સૃષ્ટિ પર અસીમ કૃપા કરી વૈષણવોને શ્રી ધ્વજાજીના સનાથ કરવા રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,ના પ્રમુખ એવા સોની ભાયાભાઈ વી. સાહોલીયાના ૫ -જયરાજ પ્લોટ સ્થિત'' ગીરીરાજ' અલૌકિક દર્શનનો અવસર પ્રાપ્ત થયો છે

   પૂ,પા,ગો,૧૦૮ શ્રી તીલકાયત શ્રી રાકેશકુમાર મહારાજની આજ્ઞા અનુસાર શ્રીનાથજીના શ્રી ધ્વજાજી સમસ્ત વલ્લભીય સૃષ્ટિ પર હેલી વરસાવવા પધારી રહ્યા છે ત્યારે અલૌકિક દર્શન અને શ્રીધ્વજાજીના સામૈયા,વરણાગી,શ્રીના દર્શન,વધાઈ,કીર્તન રાસ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા સાહોલીયા પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.

   શ્રી ધ્વજાજીનું આધિ દૈવિક આધ્યાત્મિક અને આધીભૌતિક સ્વરૂપનું અનેરું મહત્વ છે આવા શ્રીનાથજીના ધ્વજાજી વૈષ્ણવને સનાથ કરવા કાલે તા.૧૬ના રોજ પધારી રહ્યા છે જેમાં સવારે ૮:૩૦ વાગ્યે ગ્વાલ શૃંગારથી લઇ તા.૧૭ના રવિવાર  મંગળા સુધી અલૌકિક દર્શનનો લાભ લેવા સાહોલીયા પરિવારના ભાયાભાઈ ,પંકજભાઈ, અને હરીશભાઈ સાહોલિયાએ વૈષ્ણવ ભાઈઓ-બહેનોને પધારવા અનુરોધ કરેલ છે.(૨૩.૧૩ઙ્ગ)

 

 

 

(3:48 pm IST)