Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

માનસરોવર પાર્કના ભાવિક હરિયાણીએ પંચરની દૂકાનમાં ઝેરી દવા પી જીવ દીધો

રાજકોટ તા. ૧૪: આજીડેમ ચોકડી પાસે માનસરોવર પાર્ક-૨માં રહેતાં ભાવિક નંદરામભાઇ હરિયાણી (ઉ.વ.૩૨) નામના બાવાજી યુવાને ગોંડલ રોડ ચોકડી રાજકમલ પંપ પાસે આવેલી પોતાની પંચર સાંધવાની દૂકાને ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.આપઘાત કરનાર ભાવિક બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટો હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. આપઘાતનું કારણ બહાર આવ્યું ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકી મારફત જાણ થતાં માલવીયાનગરના કે. કે. માઢકે જરૂરી કાર્યવાહી કરી હતી.

(2:53 pm IST)