Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ભાટીયા બોર્ડીંગ ભવન જંકશન ખાતે સાંજે મહાઆરતી - મહાપ્રસાદ

રાજકોટ : રઘુવંશી પરિવાર જંકશન પ્લોટ દ્વારા પૂ. શ્રી જલારામ બાપાની ૨૧૯ મી જન્મ જયંતિ નિમિતે આજે બુધવારે મહાઆરતી - મહાપ્રસાદનું આયોજન કરાયુ છે. ભાટીયા બોર્ડીંગ ભવન (ગ્રાઉન્ડ), જંકશન રેલ્વે સ્ટેશન રોડ ખાતે સાંજે ૭ વાગ્યે મહાઆરતી બાદ સાંજે ૭.૩૦ વાગ્યે મહાપ્રસાદ વ્યવસ્થા ખુલ્લી મુકાશે. સાંજે ભકિત સંગીતનો કાર્યક્રમ પણ રાખેલ છે. સમગ્ર આયોજનમાં જંકશન પ્લોટ રઘુવંશી પરિવાર, જય જલિયાણ ચેરીટેબલ ટ્રસ્ટ, હિન્દુ સોશ્યલ ગ્રુપ, જલારામ મિત્ર મંડળ, આઇશ્રી ખોડીયાર ગરબી મંડળ, શ્યામ મનોહરલાલજી હવેલી, માધવ હવેલી, જંકશન પ્લોટ યુવક મંડળ નો સહયોગ મળેલ છે. ધર્મપ્રમેીજનોએ દર્શન પ્રસાદનો લાભ લેવા અનુરોધ કરાયો છે. તસ્વીરમાં પ્રસાદ માટે રસોઇઘરમાં ચાલી રહેલ તડામાર તૈયારીઓ જોઇ શકાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:43 pm IST)