Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

કલરના ધંધાર્થીઓ પણ સાંજે ૬ વાગ્યે દુકાનો બંધ કરી દેશે : એસો.નો સ્વૈચ્છીક નિર્ણય

રાજકોટ તા. ૧૪ : 'જાન હૈ તો જહાન હૈ' ઉકિત મુજબ કોરોના સામે જીવ માત્રનું જોખમ ઘટાડવાના હેતુથી રાજકોટ પેઇન્ટસ એન્ડ હાર્ડવેર ડીલર્સ એસોસીએશન દ્વારા તા.૩૧ જુલાઇ સુધી કલરની દુકાનો સાંજે ૬ વાગ્યે બંધ કરી દેવા સ્વેચ્છીક નિર્ણય જાહેર કરાયો છે.

લોકડાઉન અનલોક અંતર્ગત વેપારી મિત્રોએ દુકાનોમાં વેપાર ધંધા ધીમે ધીમે ચાલુ કરેલ છે.

પરંતુ કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીએ હવે મોટુરૂપ ધારણ કરતા આવા સમયે આરોગ્યની સુખાકારી અર્થે રાજકોટ તેમજ આજુબાજુના વિસ્તારની કલરની શોપ તા. ૩૧ જુલાઇ સુધી સાંજે ૬ કલાકે બંધ કરી દેવા નિર્ણય જાહેર કરેલ છે.

કલરના ધંધાર્થીઓએ સાંજે પ થી ૬ દરમિયાન દુકાનો બંધ કરી દેવા રાજકોટ પેઇન્ટસ એન્ડ હાર્ડવેર ડીલર્સ એસો.ની યાદીમાં જણાવાયુ છે.

(2:41 pm IST)