Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

છુટાછેડા બાદ બીજા લગ્ન થાય એ પહેલા ખોડિયારનગરના પટેલ યુવાનનો આપઘાત

ગોકુલધામ પાછળ બનાવઃ ૪૦ વર્ષિય મયુરભાઇ જસાણીએ ફાંસો ખાઇ મોત મેળવ્યું: માતા-પિતાનો એકજ પુત્ર હતોઃ પટેલ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા.૧૪: ગોકુલધામ કવાર્ટર પાછળ ખોડિયારનગર સોસાયટી શેરી નં. ૨માં રહેતાં મયુરભાઇ શાંતિલાલ જસાણી (ઉ.વ.૪૦) નામના પટેલ યુવાને ઘરે પંખામાં  ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

આપઘાતના બનાવની જાણ ૧૦૮ના ઇએમટી દિનેશભાઇએ કરતાં માલવીયાનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર મયુરભાઇ એકલો રહેતો હતો અને માતા-પિતાનો એક જ પુત્ર હતો. તેના પ્રથમ લગ્ન બાદ છુટાછેડા થઇ ગયા હતાં અને બીજા લગ્ન ચારેક મહિના પહેલા નક્કી થયા હતાં. પરંતુ લોકડાઉન આવી જતાં લગ્ન થઇ શકયા નહોતાં. 

જો કે લગ્ન ન થઇ શકતાં મયુરભાઇએ આ પગલુ ભર્યુ કે પછી બીજા કોઇ કારણોસર? તે અંગે હાલ કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

(12:51 pm IST)