Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

રાજકોટ જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખપદે ગોવિંદભાઈ રાઠોડની નિમણુંક

રાજકોટ : જીલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતિભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખપદે કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળના વતની શ્રી ગોવિંદભાઈ રાઠોડની નિમણુંક કરવામાં આવી છે. આ તકે નવનિયુકત પ્રમુખ શ્રી ગોવિંદભાઈ રાઠોડે જણાવ્યુ હતું કે અનુસુચિત જાતિના તમામ લોકોને સરકારની યોજના તેમજ લાભો માટે પ્રયત્નશીલ મોરચો રહેશે. આગામી દિવસોમાં તાલુકા અને બુથ સુધી મોરચાનું સંગઠનનો વ્યાપ વધારશુ. આ નિમણુંકને ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, હિરેનભાઈ જોષી, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સિંધવ, મહામંત્રી અમિતભાઈ પડાળીયા, સહદેવસિંહ જાડેજા સહિતનાએ અભિનંદન પાઠવ્યા છે. (૬૩૫૨૨ ૯૨૦૨૬)

(4:17 pm IST)