Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

બહેનના સાસરિયાને સમજાવવા જતા ઇકબાલભાઇ પર હમુલો

ગણેશ સોસાયટીમાં બનાવ : બનેલી અનવર, સુલતાન હસીના અરમાન, હાજી અને રેશ્મા સામે ગુનો નોંધાયો

રાજકોટ, તા. ૧૪ : કોઠારીયા રોડ ગણેશ સોસાયટીમાં રહેતી પરિણીતાને ત્રાસ બાબતે સાસરીયાઓને સમજાવવા આવેલા વાંકાનેરના કોટાડા નાયાણી ગામના યુવાનને મારમાર્યાની ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ વાંકાનેરના કોટડાનાયાણી ગામમાંૈ રહેતા ઇકબાલભાઇ દાઉદભાઇ એરેડીયા (ઉ.વ.ર૮) ની બહેનને રાજકોટ કોઠારીયા રોડ ગણેશ સોસાયટી શેરી નં. પમાં રહેતા અનવર જુમાભાઇ કપડવંજી સાથે થયા હતા. લગ્નબાદ પતિ અનવર તથા સુલતાન જુમાભાઇ કપડવંજી, હસીના જુમાભાઇ કપડવંજી, અરમાર બરણીભાઇ કપડવંજી, હાજી ઇસ્માઇલ લીંગડીયા અને રેશમા બરકતભાઇ કપડવંજીને પોતાની બહેનને હેરાન ન કરવા અને મારમારી ત્રાસ ન આપવા બાબતે ગણેશ સોસાયટીમાં સમજાવવા જતા અનવર, સુલતાન અને હસીનનાએ તારે અમારા ઘરે આવવું નહીં તેમ ઙ્ગકહી ગાળો આપી ઢીકાપાટુનો મારમાર્યો હતો અને અરમાન, હાજી અને રેશ્માએ નશીરાબેને ગાળો આપી લાકડી વડે માર માર્યો હતો. બાદ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ઇકબાલ એરેડીયાએ આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. આર. એસ. મેરે તપાસ આદરી છે. (૯.૧૧)

(4:06 pm IST)