Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

મુરલીધર શૈક્ષણિક સંકુલમાં તેજસ્વીતા અભિવાદન સમારોહ

રાજકોટ, તા.૧૪ : અત્રે વર્ધમાનનગર ખાતે આવેલ મુરલીધર શૈક્ષણિક સંકુલમાં પ્લે હાઉસથી ધો.૧૨ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો તેજસ્વીતા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવેલ.

પ્લે હાઉસ, એલ.કે.જી. એચ.કે.જી.ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ બન્ને કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એજયુકેશન ઇન્સ્પેકટર વિપુલભાઇ મહેતા તેમજ મહાત્મા ગાંધી શૈક્ષણિક સંકુલના સંચાલક રાજુભાઇ પરીખ,  શિક્ષણવિદ્ ડો. નિતિનભાઇ જોષી, રસિલાબેન ચાવડા, પ્રદીપભાઇ કથવાડીયા અને શાળા પરિવારના પૂર્વિબેન જાની ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનારને શિલ્ડ તેમજ અન્ય તેજસ્વી વિદ્યાથીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

રાજકોટ સમસ્ત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ તેમજ ગુજરાત સ્કાઉટ ગાઇડ કાઉન્સીલના ઝોન કમિશનરથી જનાર્દનભાઇ પંડયા, પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના સંયોજક ભાવિનભાઇ ભટ્ટ, ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, સંસ્થાના મેનેજિગ ટ્રસ્ટી પ્રવિણાબેન જાની, સંચાલત દર્શિતભાઇ જાની અને આચાર્ય શ્રી નિરેનભાઇ જાની ઉપસ્થિત રહ્યા હતા.

શાળાના મેનેજિગ ટ્રસ્ટી પ્રવિણાબેન જાનીએ આશીધચન પાઠવતા વિદ્યાથીઓને યોગના માધ્યમથી તેઓ શારીરિક અને માનસિક રીતે સક્ષમ બને તે માટે શુભેચ્છા પાઠવી નિરેનભાઇ જાનીએ આભાર વ્યક કયું. શ્રી મુકેશભાઇ વ્યાસ, કિશોરભાઇ જાની, ડો. અતુલભાઇ વ્યાસ, ભાવેશભાઇ જોષી, મીનાબેન ે, કિર્તીબેન દવે, જયશ્રીબેન પંચાસરા, જીજ્ઞાબેન સોલંકી સૌએ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવવાં જહેમત ઉઠાવી હતી.(૨૨.૧૦)

(4:06 pm IST)